મોરબી જલારામ મંદિરમાં માં ગોપી મંડળે દ્વારા મહાપ્રસાદ યોજાયો

- text


ધૂન-ભજનમાં મળેલ રકમનો જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સદુપયોગ કરતી બહેનો

મોરબી : મોરબીના ધર્મનગર સોસાયટીના બહેનોના ગોપી મંડળ દ્વારા ભજન-ધૂન કરી એકત્રિત કરેલ ફાળામાંથી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું.

મોરબી રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટીના બહેનો દ્વારા ધૂન મંડળ ચલાવવામાં આવે છે મંડળના અગ્રણીઓ વાસંતીબેન પટેલ, કુંવરબેન જારીયા, અંજનાબા ગઢવી, લતાબેન મજીઠીયા, હર્ષાબેન સેજપાલ, હેમલતાબેન કાનાબાર, જયશ્રીબેન કારીયા, વનીતાબેન વાણંદ, મીનાબેન પોપટ દ્વારા ધૂન-ભજનમાં મળેલ રકમનો સદુપયોગ કરવાનું નક્કી કરી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભજન અને ભોજનનો સુભગ સમન્વય સાધ્યો હતો.

લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના અનોખા સેવાયજ્ઞમાં સહયોગ આપી સમાજને નવી રાહ ચિંધવા બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,હસુભાઈ પંડિત,નરેશભાઈ ઠક્કર,જયંતભાઈ રાઘુરા સહીતનાઓએ ધર્મનગર સોસાયટી ગોપી મંડળની બહેનોને અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text