વીજ ટ્રાન્સફોર્મરમાં ડીઓ બાંધવા જતા વૃદ્ધનું વીજશોકથી મોત

- text


મોરબીના ગૂંગણ ગામના પાટિયા નજીક બનેલી ઘટના

મોરબી : મોરબીના ગૂંગણ ગામના પાટિયા નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં ઉડી ગયેલ ડીઓ બાંધવા જતા નાગડાવાસ ગામના વયોવૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ ગૂંગણ ગામના પાટિયા નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં ડીઓ ઉડી ગયો હોવાથી નાગડાવાસ ગામના ગોવિંદભાઇ વીશાભાઇ મિયાત્રા ઉ.વ.૬૫ ડીઓ બાંધતા હતા ત્યારે ઇલેક્ટ્રીક શોક લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text