મોરબીમાં કૌટુંબિક પ્રશ્ને મારામારીમાં ઘવાયેલા યુવાનનું મોત : બનાવ હત્યામાં પલટાયો

- text


ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક બનેલી ઘટનામાં યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબીના ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક કૌટુંબિક પ્રશ્ને ત્રણ શખ્સોએ એક યુવાનને માથામાં લાકડી ફટકારી દેતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ બાદ અમદાવાદ લઈ જતી વેળાએ મૃત્યુ નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક રહેતા ભરતભાઈ કરશનભાઈ સોલંકી પોતાના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણા સાથે ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક ઉભા હતા ત્યારે કૌટુંબિક પ્રશ્ને નવાગઢ જેતપુર ગામે રહેતા પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી, અર્જુનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી અને કિશનભાઈ કાળુભાઈએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં લાકડાના બડીકા વળે તેમના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણાને માથામાં તથા પગમાં ઇજાઓ પહોંચાડી હતી.

- text

બીજી તરફ મહેશ અશોકભાઈ મકવાણાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા મોરબીથી રાજકોટ અને રાજકોટથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે કુવાડવા નજીક દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભરતભાઇની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.અને બનાવ હત્યામાં પલટાતા હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text