મોરબીમાં ગુરુવારે લીમડાવાળા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

- text


મોરબી : મોરબી શહેરમાં તા. 9ને ગુરુવારે લીમડાવાળા મામાદેવનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવો આગામી તા. 9ને ગુરુવારે 6, લાતી પ્લોટ, મુનનગર, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે યોજાશે. જેમાં તા. 9ના રોજ થાંભલી રોપાશે અને તા. 10ના રોજ થાંભલી વધાવવામાં આવશે. તેમજ સાંજે 7 કલાકે પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ આયોજન અંતર્ગત રાત્રે 10 કલાકે ડાક-ડમરુનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાવળદેવ સંજયભાઈ બુધેલવાળા ડાકલા રજુ કરશે. આ પ્રસંગે ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text