મોરબીમાં સદગતના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

- text


105 બોટલો રક્ત એકત્ર થયું

મોરબી : સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાના સ્મરણાર્થે આયોજિત કેમ્પમાં 105 લોકોએ રક્તદાન કર્યું હતું.

મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગ્રુપ તથા ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સવારે દીપ પ્રાગટ્ય સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦૫ જેટલા લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સ્વ. ઉમેદસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા આ કેમ્પની અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ મુલાકાત કરી હતી તેમજ આયોજકોના આ સેવાકાર્યની પ્રશંસા કરી બિરદાવ્યા હતા. તથા સમગ્ર સામાકાંઠા વિસ્તારના લોકો આ સેવાકાર્યને બિરદાવી રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text