મોરબીથી ગુમ થયેલ યુવાન વૈષ્ણોદેવી દર્શને ગયો હતો

- text


પરત આવતા પોલીસ અને પરિવારજનોને હાશકારો

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં રહેતો યુવાન ગત તા.10 સપ્ટેમ્બરના રોજ લાપતા બનતા પરિવારજનોએ ગુમસુધા નોંધ કરવી હતી જે બાદ ગઈકાલે આ યુવાન ઘરે પરત આવી ગયો છે અને પોતે વૈષ્ણોદેવીના દર્શને ગયો હોવાનું જાહેર કર્યું છે.

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા રાજેશભાઇ દેવજીભાઇ પરમારે ગત તા.10/9/2021ના રોજ તેમના નાના ભાઈ
વિનોદભાઇ દેવજીભાઇ પરમાર, ઉ.વ.૨૮ ગુમ થયા હોવાનું જાહેર કર્યું હતું.

દરમિયાન ગઈકાલે લાપતા બનેલ વિનોદભાઇ દેવજીભાઇ પરમાર પોતાના ઘરે પરત આવી ગયો હતો અને પોતે વૈષ્ણોદેવી દર્શને ગયો હોવાનું અને બાદમાં મોબાઈલ ખરાબ થઈ જતા પરિવાર સાથે સંપર્ક ન થઈ શક્યો હોવાનું જાહેર કરતા પોલીસ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text