મોરબીમાં વિવિધ રોપા અને આયુર્વેદિક દવાઓનું રવિવારે રાહત દરે વિતરણ

- text


મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારના રોપા અને આયુર્વેદિક દવાઓનું રાહત દરે વિતરણ આગામી તા.૧૪/૧૧/૨૦૨૧ને રવિવારથી ઉમિયા સર્કલ પાસે મહાદેવ મંદિરની સામે સવારે ૮:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધી કરવામાં આવશે.

જેમાં એકજોરા, જાસૂદ, મધુકામીની, રાતરાણી, ટગર, નાગરવેલ, મધુમાલતી, એરિકાપામ, મધુનાસીની,મલેશિયન, સાગ તથા વિવિધ પ્રકારના ફૂલછોડ આ ઉપરાંત ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવિરા જેલ, અળસિયાં અને કોકોપિટનું ખાતર (૧ કિલોના ૨૦રૂ.), શુધ્ધ મધ, પંચામૃત, લીંબુ, આદુ, ઠંડાઈ, આંબળા,વિવિધ વનસ્પતીના પાંદડાં,સૂપ, સરબત વગેરેના પાવડર,હર્બલ ટી,લીલા નાળિયેર અને હાથથી બનાવેલા દેશી ઓસડીયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા, વિવિધ જાતના કઠોળ, દાળ, ફિંડલા સરબત, માટીના કુંડા,તાવડી,કોડિયાં જેવી તમામ માટીની વસ્તુઓ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂ.૧૦)વગેરે જેવી તમામ પ્રકારની વસ્તુઓ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

- text


 

મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text