- text
હળવદ : હળવદમાં નૂતન વર્ષ નિમિત્તે સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન કરવામાં આવ્યું હતું.
હળવદમાં રામાનંદી સમાજની વાડી ખાતે વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 160 આંખના દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી 49 દર્દીઓને મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું અને 47 દર્દીઓને રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા.
આ કેમ્પના સ્થાનિક દાતા તરીકે ગાયત્રી પરિવાર રહ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા રણછોડદાસ આંખની હોસ્પિટલ પરિવાર તેમજ હળવદના રામાનંદી સાધુ સમાજ પરિવાર અને ધર્મપ્રેમી મંડળ અને ગાયત્રી પરિવારના સર્વે સેવાભાવી નાગરિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text