છતર નજીક કાર પલટી જતા કચ્છના આધેડનું મૃત્યુ : એક ઇજાગ્રસ્ત

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર ગામ નજીક એસેન્ટ કાર પલટી જતા કચ્છના કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.

ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક એસેન્ટ કાર લઇને જઈ રહેલા કચ્છના મીઠી રોહર ગામના રાજેશભાઇ નારણજીભાઇ ઠક્કર ઉ.વ.૫૩એ પોતાની કાર પુર ઝડપે ચલાવતા ગોળાઈમાં ગાડી પલટી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા અંકુરભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર પીયૂષભાઈ ઠક્કરે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text