પત્ની ખેતીકામમાં ધ્યાન ન આપતા નારાજ પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો

- text


નેકનામ ખેતમજુરી કરવા આવેલા દાહોદના શ્રમિકનું સારવારમાં મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે દાહોદથી ખેતમજૂરી કરવા આવેલ શ્રમિકની પત્ની ખેતીકામમાં ધ્યાન ન આપતી હોય બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ પતિને લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પી જતા પડધરી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યુ હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે કાન્તિભાઈ કડવાભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરતા મહેશભાઈ વેચાતભાઈ માવિ, ઉ.વ.૨૫ રહે. હાલ નેકનામ તા.ટંકારા વાળા મોરબી મુળ હુકાન ફળીયુ ગુમલી ગામ તા ધાનપુર જી. દાહોદ વાળાને તેની પત્ની સાથે ખેતીકામ કરવા બોલાચાલી થઈ હતી બાદ માં તેમને લાગી આવતા કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લેતા બેભાન હાલતમાં પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text