ટંકારામાં રોહિશાળામાં તળાવમાં ડૂબી જતાં ત્રણના મોત

- text


રાજકોટથી મામાના ઘરે આવેલા બે ભાણિયા મામાના દીકરા સાથે ન્હાવા ગયા અને કરૂણ ઘટના સર્જાઈ

ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાના પુત્ર સાથે ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જતાં ત્રણેયના કરૂણ મૃત્યુ નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં દિવાળીના સપરમાં દિવસોમાં જ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

આ કરૂણ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા નિલેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા પાર્થ અતુલભાઈ દેવમુરારી ઉ.18 અને પાવન અતુલભાઈ નિમાવત ઉ.16 નામના તેમના ભાણેજ દિવાળીનો તહેવાર કરવા આવ્યા હોય આજે મામા હિતેશભાઈના પુત્ર મેહુલ ઉ.20 સાથે અહીંના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા જ્યાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મૃત્યુ નિપજયા હતા.

- text

ટંકારાના નાના એવા રોહિશાળા ગામમા દિવાળીના તહેવાર પૂર્વે જ સાધુ સમાજમાં કરુણ બનાવ બની જતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ત્રણેય હતભાગીઓના મૃતદેહ ટંકારા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

- text