શ્રમિકે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

- text


મોરબીના ટીંબડી પાટીયા પાસે આવેલ કારખાનામાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ટીંબડી પાટીયા પાસે આવેલ કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાછળ આવેલ સનલેક્ષ ફેબ્રીક કારખાનાના રહીને મજૂરી કામ કરતા જગદીશસિંહ સોહનસિંહ રાજપુત (ઉ.વ.૩૧) નામના શ્રમિકે કોઈ કારણોસર ગત તારીખ ૮ ના રોજ આ લેબર કવાર્ટરના બીજા માળે ખુણા ઉપર ની છેલ્લી ઓરડીમાં પંખા સફેદ પનીયુ બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text