ધાબા પરથી પડી જતા શ્રમિકનું મોત

- text


વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી. પંપ પાસે નવી બનતી હોટલ નજીકની ઘટના

વાંકાનેર : વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી. પંપ પાસે નવી બનતી હોટલ નજીક મજૂરી કામ કરતી વખતે ધાબા પરથી પડી જતા શ્રમિકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી.પંપ પાસે નવી બનતી હોટલ પાસે રહેતા અને ત્યાંજ મજૂરી કામ કરતા સવાઇભાઇ પુંભારામ (ઉ.વ.૨૨) નું તા.૯ ના રોજ ધાબા પરથી પડી જતા મોત થયું હતું.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક સવાઇભાઇ પુંભારામ (ઉ.વ.૨૨, રહે વાંકાનેર, વઘાસીયા ટોલનાકા, સી.એન.જી.પંપ પાસે નવી બનતી હોટલ પાસે) ઉપરોકત સ્થળે મજુરી કરતા હતા. ત્યારે ધાબા પરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા પ્રથમ સારવાર વાકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમા સારવારમા લાવતા ઇમરજન્સી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text