પ્રધાનમંત્રી આવાસના ત્રીજા માળેથી ઝંપલાવી યુવાનનો આપઘાત

- text


મોરબી એ ડિવિઝન પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં કંડલા બાયપાસ ઉપર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા કરણભાઈ પુનભાઈ ગૌસ્વામી (ઉ.વ. 32) નામના યુવાને ગત રાત્રીના 12 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આ આવાસ યોજનાના ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતુ મૂક્યું હતું. આથી, યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે. આ યુવાનને ક્યાં કારણોસર ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો તે જાણવા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text