મોરબી બસ સ્ટેશનને સેનેટાઇઝેશન કરતું RSS

- text


મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગઈકાલે તા. 3ના રોજ નવા બસ સ્ટેશન તથા જુના બસ સ્ટેશનને સંપૂર્ણ સેનિટાઈઝેશન કરવામાં આવેલ હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-મોરબીના સ્વયંસેવકો તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબીના કાર્યકર્તાઓ જોડાયા હતા. RSS દ્વારા આગામી દિવસોમાં જાહેર સ્થળોએ સેનિટાઈઝેશનનું કાર્ય નિયમિત થતું રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

- text