વાંકાનેરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે લાડલા ટ્રાવેલ્સની ફ્રી સેવા

- text


વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવા તેમજ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવા માટે લાડલા ટ્રાવેલ્સે ફ્રી સેવા આપવાનું જાહેર કર્યું છે. જેમાં સાહીલભાઈ ઠાશરીયા કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે નાત-જાતના બંધન ઉપર ઉઠીને સમગ્ર માનવજાત માટે પોતાની ટ્રાવેલ્સમાં સેવા આપશે અને તેઓ વિનામૂલ્યે જરૂરિયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડશે. તેમજ મૃતદેહોને અંતિમવિધિ માટે કબ્રસ્તાન કે સ્મશાને લઈ જવા માટે સેવા આપશે. આ સેવા માટે વાંકાનેર નગરપાલિકાએ તેઓને મંજૂરી પત્ર આપ્યો છે. આથી, આ સેવાનો લાભ લેવા ઈચ્છતા લોકો સાહીલભાઈ ઠાશરીયાનો Mo 99983 63114, 90339 63114 ઉપર સંપર્ક કરી શકશે.

- text

- text