ટંકારામાં પટેલ સમાજ એશોએશિયન દ્વારા શબવાહિનીની સેવા

- text


ટંકારા : ટંકારામાં કોરોના મહામારી વચ્ચે પટેલ સમાજ એસોસિયેશન તરફથી શબવાહીની અંતિમયાત્રાની ગાડીમાં અવિરતપણે કિશોરભાઈ યોગી ગેરેજવાળા તરફથી ફ્રી ડ્રાયવીંગ સેવા આપવામાં આવી રહી છે. નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે સેવા આપતા પાટીદાર રતન કિશોરભાઈ યોગી ગેરેજવાળા પોતાના રોજગાર ધંધા બંધ કરી ડાયવરની સેવા આપીને મુઠી ઉંચેરી સેવા આપી રહ્યા છે. કોઈપણ નાતજાતના ભેદ ભાવ રાખ્યા વગર ગમે ત્યારે ફોન આવે એટલે કોરોના કે કોઇપણ બીમારી મૃત્યુ પામેલા લોકોની ડેડબોડી લેવા તેમજ મુકવા કે સ્મશાને જવા માટે સતત ખડેપગે રહે છે. ત્યારે આ સેવાનો લાભ લેવા ઈચ્છતા લોકો નાનજીભાઈ મેરજા-9426287630 ઉપર સંપર્ક કરી શકશે.

- text

- text