મોરબીમાં ડો.આંબેડકર જયંતિની સાર્થક ઉજવણી : કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું

- text


મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને ૨૫૦૦૦/- નું ડોનેશન આપવામાં આવ્યું છે.

હાલની કોરોના મહામારીમાં માણસ જ્યારે જીવવા માટે વલખા મારે છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બધા સમાજના લોકો માટે ચલાવવામાં આવતા સમરસતા કોવિડ કેર સેન્ટરને ગામ જુના મકનસરના જય ભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મ જયંતિ અનુસંધાને ૨૫૦૦૦/- રૂપિયાનું ડોનેશન આપવામાં આવેલ છે.

- text

આ સાથે ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલની મહામારીના સમયમાં બધા સક્ષમ સમાજના લોકો પોતાની સમાજના લોકો માટે કોવિડ કેર સેન્ટર બનાવે છે ત્યારે નાના અને ગરીબ સમાજના લોકો માટે આવા કોવિડ કેર સેન્ટરનું હોવું ખુબજ જરૂરી હોય યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સમરસતા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એ ખુબજ ધન્યવાદને પાત્ર છે. આ સાથે તેઓ એ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીનો ખાસ આભાર માન્યો હતો.

- text