હળવદના નવા દેવળીયામાં સ્વૈચ્છીક રીતે 9 દિવસનું આંશિક લોકડાઉન

- text


હળવદ: વધતા કોરોના સંક્રમણને ખાળવા હળવદના નવા દેવળીયા ગ્રામપંચાયતે 9 દિવસનું આંશિક લોકડાઉન સ્વૈચ્છિક રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

- text

ગ્રામપંચાયતની કચેરી ખાતે ગામના આગેવાનો, વેપારીઓ, શાકભાજીના ધંધાર્થીઓ, ખાણીપીણીના ધંધાર્થીઓ સહિત તમામ અન્ય ધંધાર્થીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરાયું હતું. જે મુજબ તારીખ 12 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધી બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનું ઠરાવ્યું હતું. આ ઉપરાંત ગામમાં એક જ જગ્યા પર વધુ વ્યક્તિઓને એકઠા ન થવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

 

 

- text