લે છલકા! હળવદના ઘનશ્યામગઢ નજીક નર્મદા કેનાલ છલકાતા ખેતરો પાણી-પાણી

- text


માઇનોર કેનાલ છલકાઈ જતા ચાર કિલોમીટર સુધી પાણીનો વેડફાટ

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે આજે ભાર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. નર્મદાની માઇનોર કેનાલ છલકાઈ જતા કેનાલથી ચાર કિલોમીટર વિસ્તારમાં આવેલા ખેતરો અને માર્ગો પાણી-પાણી થઇ ગયા હતા અને પાણીનો વિશાલ જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો.

- text

હળવદ તાલુકામાં હાલમાં ખેડૂતો ચણા, ઘઉં ,જીરું, ધાણાના પાક ઉપાડી તલનું વાવેતર કરવામાં રત બન્યા છે. તેવા સમયે જ આજે ઘનશ્યામગઢ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર કેનાલ છલકાઈ ઉઠતા ધીમે-ધીમે પાણી આજુ બાજુના ચાર કિલોમીટર વિસ્તારમાં પહોંચી ગયું હતું.ખાસ કરીને કેનાલના છલકાયેલા પાણીને કારણે તલનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

- text