મોરબી શહેરના વોર્ડ નં.-4માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી શહેરના વોર્ડ નં.-4માં રામેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત હાઉસીંગ બોર્ડ) ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર-સોઓરડીના ડો. એ. એન ખોરજીયા તથા હેલ્થ વર્કર્સ ગુલશના ખોરજીયા, કુસુમ સોલંકી, તન્ઝીર શેરસિયા અને જુનેદ વડાવીયાએ ફરજ નિભાવી હતી. તેમજ આ તકે વોર્ડ નં.-4ના કાઉન્સિલર ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, ક્ષત્રિય સમાજ અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા ચાંદલી) અને દિલીપસિંહ જાડેજા, હાર્દિકભાઈ હેરભા, હિતુભા જાડેજા અને જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

- text