મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા 20મીએ ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે

- text


મોરબી : દર વર્ષે તા. 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. જે નિમિત્તે ‘ચકલી બચાઓ ઝુંબેશ’ હેઠળ મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા આગામી તા. 20ના રોજ સવારે 9થી બપોરે 12 સુધી સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ સર્કલ પાસે ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. જે લોકો ચકલીના ઘર મેળવવા ઈચ્છતા હોય તેઓ મો.નંબર 97129 03202, 90991 14434 અથવા 95122 41818 પર સંપર્ક કરી શકે છે. આ કાર્યક્રમ માટે મોહિત ઘોડાસરા, જયપાલ જાદવ, ગજેન્દ્ર રાઠોડ, પાર્થ વડસોલા અને વિમલ કમાડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

- text