ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે મોરબીમાં દાનની સરવાણી વહી

- text


મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ ગંભીર રોગની સારવાર માટે મોરબીમાં ઠેર-ઠેર લોકો દ્વારા ફાળો આપવામાં આવી રહ્યો છે.

મોરબીના વાઘેશ્ર્વરી ધુનમંડળ દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડને રૂ. 32,300ની આર્થિક સહાય

મોરબીના વાઘેશ્ર્વરી ધુનમંડળ દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડને રૂ. 32,300 ની આર્થિક સહાય કરવામાં આવી છે. જેમાં અશોકભાઈ સુરવદરવાળા અને અશોકભાઈ આઠળાવાળા સહિતનાએ ફાળો આપ્યો છે.

મોરબીના જય વેલનાથ ઠાકોર ગ્રુપ દ્વારા રૂ. 1.11 લાખનો ફાળો એકઠો કરાયો

મોરબીના જય વેલનાથ ઠાકોર ગ્રુપ દ્વારા લોકો પાસેથી રૂ. 1,11,387 નો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. આ કાર્ય માટે ગ્રુપના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.

- text

- text