વાંકાનેરનાં ખેરવામાં ક્ષત્રિય યુવાનો દ્વારા ધૈર્ય રાજસિંહ માટે રૂ. 78,500 નું દાન એકત્રીત કરાયું

- text


ખેરવા પાસેથી પસાર થતા વાહન ચાલકો પાસેથી માતબર દાન એકત્રિત કરાયું

(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ક્ષત્રિય યુવા ટીમ ખેરવા દ્વારા બીમાર બાળક ધૈર્યરાજ સિંહની સારવાર માટે માતબર રકમનું દાન એકત્રીત કરાયું હતું. ખેરવા પાસેથી પસાર થતાં વાહન ચાલકો પાસે થી રૂ. 78,500 જેવી રકમનું દાન એકત્રીત કરી ગંભીર બીમારીથી પીડાતા નાના એવા બાળક ધૈર્યરાજ સિંહની સારવાર માટે આપવામાં આવ્યું હતું. ખેરવાનાં ક્ષત્રિય યુવાનોએ ધોમધખતા તાપ વચ્ચે પણ રાહદારીઓ પાસેથી એક બીમાર બાળક માટે દાન એકત્રીત કરી પ્રેરણાદાયી સેવા કાર્ય કર્યું હતું.

- text