મોરબીમાં કાલે શુક્રવારે ડાકડમરૂનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : બાપ સીતારામની 43મી પુણ્યતીથી નિમીત્તે મોરબીના જેન્તીભાઈ દરજી દ્વારા ડાકડમરૂના કાર્યક્રમનું આયોજન આવતીકાલે તા. 19ને શુક્રવારના રાત્રે 9 કલાકે લખધીરવાસ, ભવાની ચોક, પોલીસ લાઇન પાછળ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. આ ડાકડમરૂના કાર્યક્રમમાં ડાકડમરૂના કલાકાર ધર્મેશભાઈ રાવળ (રાજકોટ) કલા પ્રસ્તુત કરશે. આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં માતાજીના બાનાધારીયોને અને મામા સાહેબના બાનાધારીયોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text