મોરબી : 1.19 કરોડના ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર

- text


મોરબી : 2016ના 1.19 કરોડના ચેક રિટર્ન કેસમાં મોરબીની કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.

- text

2016ની સાલના નેગોસિયેબલ કેસમાં ફરિયાદી અશોકભાઈ દામજીભાઈ પટેલે રાજભા તોગુભા ગોહિલ પર રૂપિયા 1.19 કરોડના ચેક રિટર્ન બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ એડિશનલ ચીફ જયું.મેજિસ્ટ્રેટ મોરબી પી.બી. નાયક સાહેબની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલ અને રજુ કરાયેલા આધાર પુરાવોના આધારે આરોપી રાજભા ગોહિલને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આરોપી રાજભા ગોહિલ વતી એડવોકેટ નરેન્દ્રસિંહ જગતસિંહ ઝાલા રોકાયા હતા.

- text