મોરબી : સરસ્વતી શીશુમંદિરમાં રવિવારે ભારતમાતા મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબીમાં શકત શનાળા ખાતે આવેલ સરસ્વતી શીશુમંદિરમાં ભારત માતા મંદિર અને બાવન શક્તિપીઠ આવેલ છે. આ ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં આગામી તા. 20ના રોજ શનિવારે સવારે 10 કલાકે પ્રદર્શની ઉદ્ઘાટન થશે. સવારે 8-45 કલાકે દાતાઓ દ્વારા પૂજા થશે. બપોરે 3-45 કલાકે શિક્ષક સંમેલન યોજાશે. અને સાંજે 5 કલાકે શિક્ષકો દ્વારા મહાઆરતી થશે.

આગામી તા. 21ના રોજ રવિવારે સવારે 8-45 કલાકે કાર્યકર્તાઓ દ્વારા પૂજા થશે. સવારે 9 કલાકે વાલી કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે. બપોરે 3-45 કલાકે સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન યોજાશે. અને સાંજે 5-30 કલાકે મહાઆરતી કરવામાં આવશે.

- text

 

- text