ગૌસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત : હળવદના વતની વૃદ્ધ દંપતીએ શ્રીરામ ગૌશાળાને રૂ. 5.11 લાખનું દાન કર્યું

- text


હળવદ : હળવદના વતની અને હાલ અમદાવાદમાં રહેતા વૃદ્ધ દંપતીએ વતનનું ઋણ અદા કરવા માટે હળવદની શ્રીરામ ગૌશાળામાં રૂ. પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું હતું.

છોટાકાશી તરીકે જગવિખ્યાત એવા હળવદના વતની દક્ષાબેન મધુસુદનભાઈ મહેતા અને મધુસુદનભાઈ નાનાલાલ મહેતાએ માદરે વતન હળવદનું ઋણ અદા કરવા માટે હળવદની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માતબર રકમનું દાન કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત દંપતીએ હળવદ ખાતે અંધ-અપંગ અશક્ત ગૌમાતાનું આશ્રય સ્થાન અને 400થી વધુ ગૌવંશની સેવા કરતી સંસ્થા શ્રીરામ ગૌશાળામાં નવા સેડના નિર્માણ કાર્ય માટે રૂ. 5,11,000નો ચેક ગૌશાળાને અર્પણ કર્યો છે. આમ, દંપતીએ ગૌશાળાને આર્થિક સહાય કરીને વતનનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ગૌસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

- text

- text