વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર બાઇકચાલકે હડેફેટે લેતા રાહદારીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર બાઇકચાલકે હડેફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું છે. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 2ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર આહમદભાઇ ઉમરભાઇ મીરા (રહે-સીપાઇ શેરી, વાંકાનેર) ચાલીને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે આરોપી મો.સા રજી નં- જી.જે.૦૬.એફ.એમ. ૦૯૮૦ના ચાલકે મોટરસાઇકલ જીનપરા જકાતનાકા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નિકળી આહમદભાઇને હડફેટે લઇ રોડ ઉપર પછાડી દઇ માથાના ભાગે તથા હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું છે. હાલમાં પોલીસે બાઇકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text

- text