રંગપર નજીક ગાય સાથે અથડાતા બાઈકચાલકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરમાં રઝળતા પશુઓનો ત્રાસ જોવા મળે છે. જેના લીધે વારંવાર અકસ્માતના બનાવ સામે આવે છે. ત્યારે રંગપર ગામ નજીક ગાય સાથે અથડાતા બાઈકચાલકે જીવ ગુમાવ્યો છે.

ગત તા. 25 ડિસેમ્બરના રોજ રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર મહેશભાઇ રમણભાઇ માવી બાઈક રજી નં. જી.જે. ૨૩ એ. ડી. ૮૫૦૪ લઈને પસાર થતા હતા. ત્યારે બાઈક નીલ ગાય સાથે અથડાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે મૃતકના પત્ની કાળીબેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text