મયુર નેચર કબલના પાયાના પથ્થર અને વૃક્ષપ્રેમી દુલાભાઈ રાઠોડનો જીવનદીપ બુઝાયો

- text


 

 

મોરબી : મોરબીમાં પર્યાવરણનું જતન કરતી જાણીતી સંસ્થા મયુર નેચર કબલના પાયાના પથ્થર અને વૃક્ષપ્રેમી દુલર્ભજીભાઈ વાલજીભાઈ રાઠોડનું તા. 25ના રોજ અવસાન થયું છે. દિવંગત દુલાભાઈ રાઠોડે પર્યાવરણનું જતન કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓએ વર્ષોથી વૃક્ષો વાવવા તથા વૃક્ષોની કાળજી પર્વક માવજત કરવા ઉપરાંત પશુ-પક્ષીઓની પણ સેવા કરી હતી. પરોપકારને જીવનમંત્ર બનાવી દેનાર દુલાબાપાનો જીવન દીપ બુઝાતા મયુર નેચર કબલના સભ્યોમાં ઘેર શોકની લાગણી છવાઈ ગઈ છે અને મયુર નેચર કબલના તમામ સભ્યોએ દિવંગત દુલાબાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

મોરબી: દુર્લભજીભાઈ વાલજીભાઈ રાઠોડનું અવસાન

મોરબી: દુર્લભજીભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ. ૮૪)તે ગુણવંતરાય ડી રાઠોડ (મો. ૯૪૨૮૦ ૦૭૫૬૦), અરુણભાઈ ડી રાઠોડ (મો. ૯૨૬૫૪ ૬૭૫૫૯), પ્રવીણભાઈ ડી રાઠોડ (મો. ૯૬૨૪૪ ૩૪૧૪૨), કનૈયાલાલ ડી રાઠોડ (મો. ૭૦૧૬૯ ૦૭૪૮૫), મીનાબેનના પિતાનું તા. ૨૫/૧૧/૨૦૨૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૭/૧૧/૨૦૨૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.ટેલીફોનિક શોકસંદેશો પાઠવવો.

 

- text