વાંકાનેરના સિધાવદર ગામે ફ્રાન્સ વિરુદ્ધ પોસ્ટરો બાળી વિરોધ પ્રદર્શન કરાયું

- text


ફ્રાન્સમાં મુસ્લિમ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરવા મામલે આ વિરોધ પ્રદર્શન કરાયું

વાંકાનેર : ફ્રાન્સમાં અસામાજિક તત્વો દ્વારા તાજેતરમાં મુસ્લિમ ધર્મના સ્થાપક મહમદ પયગંબર સાહેબ વિરુદ્ધ આપતીજનક ટીપ્પણી કરવામાં આવી હતી. જેથી ફ્રાન્સની સરકાર અને તેના રાષ્ટ્રપતિ સામે રોષની લાગણી સાથે સમગ્ર વિશ્વમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. આથી વાંકાનેરના સિધાવદર ગામે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટરો બાળી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- text

વાંકાનેરના સિધાવદર ગામે ભીમ આર્મીએ હિન્દ સંસ્થા દ્વારા ફ્રાન્સની આવી આપત્તિજનક હરકતના વિરોધમાં ફ્રાન્સની સરકાર અને તેના રાષ્ટ્રપતિ વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.જેમાં હિન્દૂ મુસ્લિમ એકતા સાથે આ સંસ્થાના કાર્યકરો દ્વારા ફ્રાન્સની સરકાર અને તેના રાષ્ટ્રપતિના પોસ્ટરો તેમજ ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ફ્રાન્સ વિરુદ્ધ પોસ્ટર પ્રદર્શન કરી આ કૃત્ય કરવા બદલ ફ્રાન્સ માફી માંગે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

- text