મોરબીના વીસીપરામાં રોડ પર પાણીની લાઇન લીકેજ : પાણીનો વ્યય અટકાવવા માંગ

- text


મોરબી : મોરબીના વીશીપરા મેઈન રોડ પર નવલખી પોર્ટની સામે પાણીની પાઇપલાઈન તૂટી જવાથી પાણીનો બગાડ થાય છે. જેનાથી ગંદકી થાય છે. વીસીપરાના રહીશોને પાલિકા દ્વારા દિવસમાં માત્ર ત્રણ કલાક પાણી આપવામાં આવે છે. આમ, આ વિસ્તારમાં પાણી પૂરતું આપવામાં આવતું નથી. અને ઉલ્ટાનું પાણીનો ખોટો બગાડ થાય છે. આ બાબતે નગરપાલિકા બેદરકારી દાખવે છે. ત્યારે તે વિસ્તારના રહીશો દ્વારા પાણીનો વ્યય અટકાવવા માંગ ઉઠી છે. તેમ રહેવાસી યોગેશ દેગામએ યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text