મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રકૃતિ પૂજન કરાયું

- text


મોરબી : હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત પ્રકૃતિ પૂજન અને વંદન કાર્યક્રમને ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પૂર્વજોએ પ્રકૃતિની પૂજા કરી છે અને વૃક્ષોને ઉપાસ્યા છે. ત્યારે ભાવિ પેઢી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો. જયેશભાઈ પનારા, મનુભાઈ કૈલા, દિલીપભાઈ પરમાર, પંકજભાઈ ફેફર, ડો. ઉત્સવભાઈ દવે સહિતના તમામ સભ્યો આ પ્રકૃતિ વંદન તથા પૂજન કાર્યક્રમમાં સહ પરિવાર જોડાયા હતા

- text