વાંકાનેર પાસે કાર સાથે તણાયેલા ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યા

- text


 

પાંચ યુવાનો કારમાં જતા હતા તે વેળાએ વોકળાના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી : બેનો બચાવ થયા બાદ અન્ય ત્રણની ચાલી રહી હતી શોધખોળ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના શેખરડી-દિઘલીયા ગામ જવાના રસ્તે વોકળામાં ગત મોડી રાત્રીના એક કારમા પાંચ યુવાનો કાર સાથે તણાઈ ગયા હતા. જેમાંથી બે યુવાનોનો બચાવ થઈ ગયો હતો. જો કે બાકીના ત્રણ યુવાનોના આજે મૃતદેહ મળી આવ્યા છે.

ખારોડીયા વોંકળામાં ગત મોડી રાત્રીના મારૂતિ કાર જીજે 13 એએમ 4743 તણાઈ ગઈ હતી. જેમાં સવાર પાંચ યુવાનો પણ પાણીમાં તણાઈ ગયા હતા. જેમાંથી પિન્ટુભાઈ મેણીયા અને ગૌરવ સાપરા નામના બે યુવાનો કારમાથી બહાર નીકળવામાં સફળ થતા તેમનો બચાવ થયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવાનો કાર સાથે તણાઇ જતા તંત્ર દ્વારા તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી.

- text

જેમાં લાપતા થયેલા ત્રણેય યુવાનો કાલીયા જયદીપ ઘનશ્યામભાઈ (ઉ.વ. 32, રહે. સુરેન્દ્રનગર), બાવળીયા યોગેશ જાદવભાઈ (ઉ.વ. 32, રહે. નગરા, જી. સુરેન્દ્રનગર) અને બાવળીયા નરશી ગંગારામ (ઉ.વ. 29, રહે. નગરા, જી. સુરેન્દ્રનગર)ના ઘટના સ્થળેથી અંદાજે 100-150 ફૂટના અંતરે મૃતદેહ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મૃતક યુવાનો તેમના મિત્રો સાથે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતાં..જ્યાંથી પરત ફરતી વેળાએ આ યુવાનો સાથે દુર્ઘટના સર્જાઈ હતી.

- text