મોરબીના વજેપર વિસ્તારમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના વજેપર વિસ્તારમા રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વજેપર વિસ્તારની શેરી નં-૧૮ માં રહેતા હીતેષભાઇ છગનભાઇ કણઝરીયા (ઉ.વ ૩૬) નામના યુવાને તા.૨૧ ના રોજ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text