મોરારીબાપુના સમર્થનમાં મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

- text


મોરબી : પ્રખર રામાયણી મોરારીબાપુ ઉપર દ્રારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કર્સયેલા હુમલાના પ્રયાસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ બનાવના વિરોધમાં મોરબીના મોરારીબાપુના સમર્થકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

મોરબી જિલ્લાના મોરારિબાપુના સમર્થકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે મોરારીબાપુ ગત તા.18 જુનના રોજ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા ગયા હતા. ત્યારે અચાનક દ્રારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારીબાપુ ઉપર ઘસી આવીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સંત ઉપર તેના અશોભનીય વ્યવહારથી મોરારીબાપુના સમર્થકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આથી, આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી દ્રારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text