મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું સામુહિક વિસર્જન કરાશે

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. તે ઉપરાંત, તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.

- text

હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. ત્યારે આગામી તા.૨૧-૬ ના રોજ કંકણાકૃતિ સુર્ય ગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૯-૬-૨૦૨૦૨ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૧૮-૬-૨૦૨૦ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૭-૬-૨૦૨૦ સુધીમા લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા અપીલ કરી છે. આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ સહીતના જોડાશે. તેમ મોરબીના જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text