વાંકાનેર : અંગત અદાવતમાં સૂકી નિરણ સાથેનું ટ્રેકટર સળગાવી નાખ્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં અંગત અંદાવતનો ખાર રાખી એક શખ્સે સૂકી જુવારની નિરણ સાથેનું ટ્રેકટર સળગાવી નાખ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી પાંચાભાઇ રૂપાભાઇ રંગપરા ઉવ.૨૩ રહે જાલી, વાંકાનેર વાળાએ આરોપી લાખા વાઘજી રહે જેતપરડા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ જાલી ગામની સીમ ગુજરાત ગેસ સામે આરોપીએ થોડા દીવસ પહેલા ફરીયાદી વીરૂધ્ધ અરજી કરેલ જે રોષના કારણે આરોપીએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી સુકી જુવારની નીરણ કીંમત રૂ.૧૨૦૦૦ તથા ટ્રેક્ટર નં.GJ-02-8892 ની જમણી બાજુના બન્ને ટાયર તથા ટ્રોલીનું જમણી સાઇડનું ટાયર સળગાવી કીંમત રૂ.૧૫૦૦૦ નું નુકશાન કર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text