લોકડાઉન ઇફેક્ટ : ટંકારામાં દૂરથી જ જડેશ્વર દાદાના દરબારના દર્શન થયા

- text


ટંકારા : છેલ્લા 1 મહિનાથી વધુ સમયગાળાથી લોકડાઉન છે. આથી, વાતાવરણને પ્રદુષિત કરતી માનવીય પ્રવૃતિઓ બંધ છે. પ્રકૃતિને જાણે સોળેય કળાયે ખીલવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે ટંકારામાં દૂરથી જ જડેશ્વર દાદાના દરબારના દર્શન થાય છે.

- text

ટંકારામાં વાતાવરણ શુદ્ધ થવાના કારણે જડેશ્વર મહાદેવના મંદિરનું શિખર પર લહેરાતી ધજા દૂરથી જ નજરે ચડે છે. તેમજ દૂરથી ડુંગરોની ટોચ પણ દ્રશ્યમાન થઇ રહી છે. વધુમાં, ટંકારામાં સતત ભીડભાડથી ભરેલી રહેતી બજાર લોકડાઉનના કારણે સુમસામ છે. આમ, નીરવ શાંતિ અને કુદરતી સૌંદર્યનો અદભુત નજારો ટંકારામાં જોવા મળી રહ્યો છે.

- text