મોરબીના ગ્રીન ચોક અને ચંદ્રેશનગર વિસ્તારમાં લોકોએ જાતે સેનીટાઇઝેશન કર્યું

- text


 

મોરબી : હાલ કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે મોરબીના ઘણા વિસ્તારોને રહીશો એ જાતે ‘અપના હાથ જગન્નાથ’ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ દવાનો છંટકાવ કર્યો છે.

- text

પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીનાં ગ્રીન ચોક પાસે આવેલી રામજીયાણી શેરીમાં રહેતા આમ આદમી પાર્ટીના સભ્ય વિક્રમભાઈ મહેતા, ચેતન દોશી, નિસર્ગ શાહ, યતિન સોની, હિરેન ગાંધી, ચેતન લુહાર, નીરવ પારેખ, વિશાલ પંડિત સહિતના લોકો એ આ કોરોના વાયરસના જીવાણુ ફેલાઈ નહી તે માટે સ્વખર્ચે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ન્યુ ચંદ્રેશનગરમાં મૂન નગર ચોક પાસે સ્વખર્ચે દવાનો છંટકાવ કરી વિસ્તારને સૅનેટાઇઝ કરવામાં આવ્યો હતો.

- text