હળવદ : પત્નિ સાથેના ઝઘડાઓથી કંટાળી માનસિક અસ્વસ્થ રહેતા યુવકનો ફાંસો ખાઈ આપઘાત

- text


હળવદ : માનસિક રીતે અસ્વસ્થ રહેતા યુવકે પત્નિ સાથે વારંવાર થતા ઝઘડાથી કંટાળી એક યુવકે પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text

હળવદમાં પંચમુખી ઢોરામાં રહેતા મહેશભાઈ લાલજીભાઈ સોલંકી નામના 38 વર્ષીય યુવકનું અગાઉ એક્સિડન્ટ થયું હતું. અકસ્માત સમયે માથામાં થયેલી ઇજાને લઈ યુવકની માનસિક સ્થિતિ સારી ન હતી. આના કારણે અવાર-નવાર પત્નિ સાથે નાનીનાની બાબતોને લઈ ઝઘડાઓ થતા રહેતા હતા. આવી પરિસ્થિતિનું લાગી આવતા ગત તારીખ 18ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ તેના ઘેર જ ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હળવદ પો.મથકના હેડ.પો.કોન્સ. બી.એમ. આલે કેસના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text