વાંકાનેર : અમરસિંહજી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ઇમરજન્સી તકેદારી અંગે અવગત કરતું ફાયર બ્રિગેડ

- text


વાંકાનેર : શહેરની શ્રી અમરસિંહજી હાઈસ્કૂલમાં મોરબી ફાયર બ્રિગેડ શાખાના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને ઇમરજન્સી સમયે રાખવી પડતી તકેદારીથી અવગત કરાવ્યા હતા.

- text

મોરબી ફાયર બ્રિગેડ ટીમના દર્શન પરમાર, કિશન ભટ્ટ તથા પ્રિતેશ નગવાડિયાની ટીમ દ્વારા વાંકાનેરની શ્રી અમરસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને કુદરતી તેમજ માનવ સર્જિત કટોકટીના સમયે ક્યાં ક્યાં પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ અંગે મૌખિક માર્ગદર્શન અને પ્રાયોગિક ડેમો આપ્યો હતો. આ વિશેની જાણકારી મેળવવામાં શાળાના સ્ટાફ સહિતના શિક્ષકો પણ જોડાયા હતા. જેમાં ઇમરજન્સીના સમયે ઓછામાં ઓછું જાનમાલનું નુકશાન થાય એ માટે રાખવી પડતી તકેદારી તેમજ ફાયરબ્રિગેડની કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યુ હતું.

- text