મોરબીમાં આર.એસ.એસ. દ્વારા 16મીએ શિવસંગમનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા આગામી તા.16 ના રોજ રવિવારે રત્નકલા સ્કઇમોલની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે જાહેર સમારોહ શિવસંગમનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રહિત પહેલા અને ચારિત્ર્યવાન ફરજિયાતની ભાવના જાગૃત થાય સમાજની સજ્જન શક્તિ સંગઠિત થઈને સક્રિય બને તેવા ઉદ્દેશ્યને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્ય વક્તા તરીકે હિન્દૂ જાગરણ મંચ પ્રદેશ સંગઠન મંત્રી કલ્પેશસિંહ વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે બાળરોગ નિષ્ણાંત ડો.સતીષ પટેલ ઉપસ્થિત રહેશે.ત્યારે આ કાર્યક્રમનો લોકોને લાભ લેવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી જિલ્લાના સંઘ સંચાલક લલિતભાઈ ભલોડિયાએ અનુરોધ કર્યો છે.

- text