મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ વીરપુરમાં ચાલતી મોરારીબાપુની રામકથાનો શ્રધ્ધાભેર લાભ લીધો

- text


મોરબી : સંત શિરોમણી શ્રી પૂ. જલારામ બાપાની જગ્યાએ વીરપુર મુકામે આગામી તા.૨૬-૧-૨૦૨૦ મહાસુદ બીજના રોજ પૂ. બાપાએ શરૂ કરેલ સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય, દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામા આવી રહી છે. જેના અનુસંધાને વીરપુર મુકામે પૂ.મોરારીબાપુની રામકથાનુ અનેરુ આયોજન કરવામા આવેલ છે. જેમા મોરબી જલારામ મંદીરના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, હસુભાઈ પુજારા, હસુભાઈ પંડીત, મનિષ પટેલ, અનિલ ગોવાણી, જે.આઈ.પુજારા, કીશોરભાઈ ઘેલાણી, રમેશભાઈ બુધ્ધદેવ, કીર્તિભાઈ પાવાગઢી, જગદીશભાઈ કોટક, મનોજ ચંદારાણા, મનસુખભાઈ પીઠડીયા સહીત આગેવાનોની આગેવાનીમા બહોળી સંખ્યામા કાર્યકરો જોડાયા હતા. પૂ.મોરારી બાપુની કથાનુ રસપાન કરી, પૂ. જલારામ બાપાના દર્શન કરી તેમજ પ્રસાદ ગ્રહણ કરી દરેકે ધન્યતા અનુભવી હતી.

- text