મોરબી જિલ્લામાં પશુ ચિકિત્સક વર્ગ -2ની રદ થયેલી જગ્યાએ પુનઃ ભરતી કરાશે

- text


મોરબી : મોરબી સહિતના 17 જિલ્લાઓમાં વર્ષ 2007થી 2012 દરમિયાન પશુપાલન વિભાગમાંથી પશુ ચિકિત્સક વર્ગ-2ની 56 જગ્યાઓ રદ કરી નાખવામાં આવી હતી. જે સંદર્ભે પશુપાલન નિયામક દ્વારા આ જગ્યાઓ પૈકી 36 જગ્યાઓ પુનઃજીવીત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. માટે હવે મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુ ચિકિત્સક વર્ગ 2ની જગ્યા ઉપર આગામી દિવસોમાં ભરતી કરવામાં આવશે.

- text