મોરબી યુવા જ્ઞાનોત્સવમાં સાંજે જે.ડી.મજેઠીયા, જયસુખભાઈ પટેલ અને સવજીભાઈ ધોળકીયાનું વક્તવ્ય

- text


મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવમા આજે શનિવારે સાંજે ત્રીજા સેશનમાં જે.ડી.મજેઠીયા, જયસુખભાઈ પટેલ અને સવજીભાઈ ધોળકીયાનું વક્તવ્ય યોજાવાનું છે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ ભરમાર સર્જાવાની છે.

- text

તા. 11 જાન્યુઆરીના સાંજેના ત્રીજા સેશનમાં 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6.30 થી 7.15 વાગ્યા દરમિયાન ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જે. ડી. મજેઠીયાનું ‘રુક જાના નહિ, તુમ કહીં હાર કે…’ એ વિષય પર વક્તવ્ય તથા સાંજે 7.15 થી 7.30 વાગ્યા દરમિયાન એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું રણ સરોવર પ્રોજેકટનું મહત્વ’ વિશે વક્તવ્ય અને સાંજે 7.30 થી 7.45 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન ઉપરાંત સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનું સાચી સફળતાના સૂત્રો એ વિશે વક્તવ્ય યોજાશે.

- text