દિલ્હી સ્થિત JNU યુની.માં બનેલા બનાવ મામલે ABVP મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન

- text


ABVPના કાર્યકરોએ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું

દિલ્હી સ્થિત JNU યુની.માં ABVP ના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં ABVP મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.જેમાં ABVP મોરબીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text

દિલ્હી સ્થિત JNU જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં અમુક દેશ વિરોધી તત્વોએ રાષ્ટ્રવાદી સંગઠન ABVPના કાર્યકરો ઉપર હુમલા કર્યો હતો.આ હુમલાનો ABVP સંગઠન દ્વારા ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.ત્યારે ABVPના કાર્યકરો ઉપરના હુમલાના વિરોધમાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના વિધાર્થીઓ અને ABVP મોરબીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને અને પ્લે કાર્ડ બનાવીને વિરોધ કરવામાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પૂનઃનિર્માણના ધ્યેય લઈને 9 જુલાઈ 1949થી રચનાત્મક કાર્ય કરતું દેશ નું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાયના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષ માં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે.ત્યારે ABVPના કાર્યકરો ઉપર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text