મોરબી : યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત મંગળવારે 15 વર્ષથી નીચેના વિધાર્થીઓ માટે વકૃતવ સ્પર્ધા યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી જાન્યુઆરી 2020 માં યોજાનારા યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત તા.31.12.19 ના રોજ બપોરે 1.00 વાગ્યાથી 15 વર્ષથી નાના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે, મોરબી ખાતે બપોરે 1.00 વાગ્યાથી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં યુવાનોમાં જ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં માટે 10 થી.12 જાન્યુઆરી 2020 એમ ત્રીદિવસય યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત હાલમાં વકૃતવ રાઉન્ડ ચાલી રહ્યા છે.જેમાં તાજેતરમાં ઓપન એઇજ ગ્રુપ માટેનો વકૃતવ સ્પર્ધાનો રાઉન્ડ પૂરો થયા બાદ કાલે તા.31ના રોજ 15 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ માટે વકૃતવ સ્પર્ધાનો રાઉન્ડ યોજાશે. આ વકૃતવ સ્પર્ધામાં 15 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ માટેના વિષયો યે દેશ માંગે મોર…, મસાલ બનો..મિશાલ બનો.., પર્યાવરણ જાળવણી અને વ્યક્તિગત દાયિત્વ તેમજ 4.ટ્રાફિક નિયમોના લાભાલાભ વિષય રાખવામાં આવ્યા છે.આ વક્તૃત્વ સ્પર્ધાનો સમય 5 મીનિટનો રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં પ્રથમ નંબર નંબર પ્રાપ્ત કરનનાર સ્પર્ધકને તા.10 થી 12 જાન્યુઆરી 2020 યુવા જ્ઞાનોત્સવમાં પટેલ સમાજ વાડી ખાતે વકતવ્ય આપવાની તક મળશે અને બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનારને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

- text