મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇના હસ્તે લક્ષચંડી મહાયજ્ઞ વિસર્જન નિમિત્તે શાંતિ પૂજા કરાઈ

- text


મોરબી : મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરાના પરિવારના મુખ્ય યજમાન પદે મહેસાણા જિલ્લાના ઊંઝામાં ‘ઉમિયા નગર’ ખાતે પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ગત તા. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજવામાં આવેલ હતો. જેમાં લાખો ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

આ અવસરે લક્ષચંડી મહાયજ્ઞના વિસર્જન નિમિત્તે મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરા, કે જેઓ લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાનનું સ્થાન ધરાવતા હતા. તેઓએ ગઈકાલે તા. 29/12/2019ના રોજ ઊંઝા ખાતે યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત રીતે વિધિપૂર્વક શાંતિ પૂજા કરેલ હતી.

- text

ઉલ્લેખનીય છે કે લક્ષચંડી મહાયજ્ઞ માટે ઉછામણીમાં સવા ચાર કરોડ રૂપિયાની ધનરાશીનું દાન કરી મુખ્ય યજમાનનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

- text